સામાજિક વિજ્ઞાન ધોરણ: 6 સત્ર: 2 પાઠ: 1 થી 13 ના 506 પ્રશ્નો(IMP For TET-2 Exam)

Title

                                         •સામાજિક વિજ્ઞાન   ધોરણ: 6   સત્ર: 2 પાઠ-1 થી 13•



કુલ પ્રશ્નો: 506  /   કુલ ગુણ: 506


1.

સૌથી જૂનો વેદ કયો છે ?

જવાબ: ઋગ્વેદ

2.

ઋચાઓના સમૂહને શું કહે છે ?

જવાબ: સૂક્ત

3.

વૈદિક મંત્રોના દ્રષ્ટા કોણ હતા ?

જવાબ: ઋષિઓ

4.

ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો ?

જવાબ: વિશ્વામિત્રે

5.

યજ્ઞો અને અનુષ્ઠાનો કરવાનું કામ કોણ કરતું ?

જવાબ: પુરોહિતો

6.

પ્રાર્થનાઓના રચયિતા પોતાને શું કહેતા ?

જવાબ: આર્ય

7.

મહાપાષાણ કબરો બનાવવાની પ્રથા આશરે કેટલાં વર્ષ પહેલાં શરૂ થઈ હતી ?

જવાબ: 3000

8.

ક્યા ગામની કબરમાંથી 33 સોનાના મણકા અને શંખ મળ્યા છે ?

જવાબ: બ્રહ્મગીરીની

9.

ક્યા ગામના લોકો મૃતદેહોને ઘરમાં જ દફનાવતા ?

જવાબ: ઇનામગામના

10.

કયા ગામમાંથી પુરાતત્ત્વવિદોને અનાજનાં બી મળ્યાં છે ?

જવાબ: ઇનામગામમાંથી

11.

વેદોની સંખ્યા કેટલી છે ?

જવાબ: 4

12.

ઇન્દ્ર શાના દેવતા છે ?

જવાબ: યુદ્ધ

13.

ઋગ્વેદના રચયિતાએ કોની સરખામણી ગાયો અને ઘોડા સાથે કરી છે ?

જવાબ: નદીઓ

14.

વૈદિકકાળમાં દસ્યુ લોકો ક્યા પ્રદેશની આજુબાજુ રહેતા હતા ?

જવાબ: પંજાબ

15.

પાષાણ એટલે શું ?

જવાબ: પથ્થર

16.

વૈદિક સમય દરમિયાન યજ્ઞોમાં શાની આહુતી આપવામાં આવતી હતી ?

જવાબ: ઘી-અનાજ

17.

સોમ એ શું છે ?

જવાબ: એક છોડ

18.

ઋગ્વેદમાં કેટલી ઋચાઓ છે ?

જવાબ: 1000 થી વધુ

19.

ઋગ્વેદની ભાષા શું કહેવાતી હતી ?

જવાબ: વૈદિક સંસ્કૃત

20.

વેદોને છાપવાનું કામ ક્યારે થયું ?

જવાબ: 200 વર્ષ પહેલાં

21.

રાજા ક્યું કામ કરતા હતા ?

જવાબ: આપેલ ત્રણેય

22.

જનતા અથવા પુરા સમુદાય માટે કયા શબ્દોનો ઉપયોગ થતો હતો ?

જવાબ: જન-વિશ

23.

અગ્નિ શાના દેવતા છે ?

જવાબ: આગના

24.

નીચેનામાંથી કયો વેદ નથી ?

જવાબ: અર્થવેદ

25.

વેદો હજારો વર્ષો સુધી માત્ર કર્ણોપકર્ણ સાંભળીને, કંઠસ્થ કરીને યાદ રખાયા હોવાથી શું કહેવાય છે ?

જવાબ: શ્રુતિગ્રંથો

26.

ઋગ્વેદના અમુક સૂક્તો શાના રૂપમાં મુકાયેલા છે ?

જવાબ: સંવાદ

27.

વૈદિક સમયના રાજાની વિશેષતા શું હતી ?

જવાબ: આપેલ ત્રણેય

28.

ઇનામગામ ક્યાં આવેલ છે ?

જવાબ: ઘોડ નદીના કિનારે

29.

ઋગ્વેદની રચના આશરે કેટલા વર્ષ પહેલાં થયેલ હોવાનું મનાય છે ?

જવાબ: ઈ.સ. પૂર્વે 3000-3500

30.

ઋગ્વેદમાં આવેલા સૂક્ત કોની સ્તુતિ માટેના મંત્રો છે ?

જવાબ: દેવી-દેવતાઓની

31.

ગુજરાતનો મોટાભાગનો વિસ્તાર ક્યા કટિબંધમાં છે ?

જવાબ: ઉષ્ણ

32.

ગુજરાતમાં કઈ ઋતુમાં માવઠું પડે છે ?

જવાબ: શિયાળામાં

33.

ગુજરાતમાં મે મહિના પછી ક્યા પવનો વાય છે ?

જવાબ: નૈઋત્યના પવનો

34.

ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ઠંડી પડે છે ?

જવાબ: જાન્યુઆરી

35.

ગુજરાતમાં ક્યા મહિનામાં સૌથી વધુ ગરમી પડે છે ?

જવાબ: મે

36.

નીચેનામાંથી કઈ નદી અંત:સ્થ નદી નથી ?

જવાબ: મચ્છુ

37.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે ?

જવાબ: નર્મદા

38.

દાંતીવાડા યોજના કઈ નદી પર આવેલી છે ?

જવાબ: બનાસ

39.

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?

જવાબ: કંડલા

40.

આમાંથી ક્યા જિલ્લામાં મૅન્ગ્રુવ જંગલો આવેલાં છે ?

જવાબ: કચ્છ

41.

કાગળ બનાવવા માટે ક્યા વૃક્ષનું લાકડું વપરાય છે ?

જવાબ: વાંસનું

42.

પિરોટન ટાપુ પાસેથી કઈ માછલી મળે છે ?

જવાબ: કાલુ માછલી

43.

ગુજરાતનો દરિયાકિનારો આશરે કેટલા કિલોમીટર લાંબો છે ?

જવાબ: 1600

44.

દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા જિલ્લામાં આવેલો છે ?

જવાબ: જામનગર

45.

કયું ખનીજ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે ?

જવાબ: ચૂનાનો પથ્થર

46.

કયું ખનીજ ધાતુઓને ઓગાળવા માટે ખૂબ જ ઉપયોગી છે ?

જવાબ: ફ્લોરોસ્પાર

47.

કયું ખનીજ પેન્સીલ બનાવવામાં વપરાય છે ?

જવાબ: ગ્રૅફાઈટ

48.

એશિયાભરમાં સિંહો માટે જાણીતું અભ્યારણ્ય કયું છે ?

જવાબ: સાસણગીર અભ્યારણ્ય

49.

કડાણા યોજના કઈ નદી ઉપર આવેલી છે ?

જવાબ: મહી

50.

નળ સરોવર કયા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: અમદાવાદ

51.

આપણે ત્યાં મુખ્ય ઋતુઓ કેટલી છે ?

જવાબ: ત્રણ

52.

કોઈપણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને શું કહે છે ?

જવાબ: આબોહવા

53.

દરિયાકિનારાનાં પ્રદેશોમાં કેવી આબોહવા અનુભવાય છે ?

જવાબ: સમઘાત

54.

નીચેનામાંથી કયું દરિયાકિનારે આવેલું વિહારધામ નથી ?

જવાબ: સાપુતારા

55.

ગુજરાતમાં શિયાળો ક્યારે હોય છે ?

જવાબ: ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી

56.

ગુજરાતમાં ઉનાળો ક્યારે હોય છે ?

જવાબ: માર્ચથી મે સુધી

57.

ગુજરાતમાં ચોમાસું ક્યારે હોય છે ?

જવાબ: જૂનથી સ્પ્ટેમ્બર સુધી

58.

નીચેનામાંથી શિયાળામાં કયું ફળ ખવાય છે ?

જવાબ: બોર

59.

નીચેનામાંથી ઉનાળામાં કયું ફળ ખવાય છે ?

જવાબ: કેરી

60.

નીચેનામાંથી ચોમાસામાં કયું ફળ ખવાય છે ?

જવાબ: જાંબુ

61.

આપણી પાસેની વિવિધ પ્રકારની સંપત્તિને શું કહે છે ?

જવાબ: સંસાધન

62.

નીચેનામાંથી સંસાધનમાં કોનો સમાવેશ થાય છે ?

જવાબ: આપેલા બધા

63.

નીચેનામાંથી કઈ નદી ગુજરાતની નદી નથી ?

જવાબ: કાવેરી

64.

ઉકાઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?

જવાબ: તાપી

65.

કાકરાપાર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?

જવાબ: તાપી

66.

વણાકબોરી યોજના કઈ નદી ઉપર આવેલી છે ?

જવાબ: મહી

67.

ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે ?

જવાબ: સાબરમતી

68.

સરદાર સરોવર યોજના કઈ નદી ઉપર આવેલી છે ?

જવાબ: નર્મદા

69.

કચ્છ જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?

જવાબ: નારાયણ સરોવર

70.

વડોદરા જિલ્લામાં કયું સરોવર આવેલું છે ?

જવાબ: આજવા સરોવર

71.

ગુજરાતના દરિયાકિનારે નાના મોટા કેટલાં બંદરો આવેલાં છે ?

જવાબ: 40

72.

એશિયાનું સૌથી મોટું વિન્ડફાર્મ ક્યાં આવેલું છે ?

જવાબ: ઓખા અને લાંબા ખાતે

73.

કયા બે બંદર વચ્ચેનાં દરિયાકાંઠે કિંમતી એવી વ્હેલ અને શાર્ક માછલી શિયાળામાં દરિયાકાંઠે આવતી હોય છે ?

જવાબ: ઓખા અને વેરાવળ

74.

120 સેમી કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?

જવાબ: ભેજવાળાં પાનખર જંગલો

75.

60 સેમી થી120 સેમી જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?

જવાબ: સૂકાં પાનખર જંગલો

76.

60 સેમી કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?

જવાબ: સૂકાં ઝાંખરાવાળાં જંગલો

77.

કચ્છના પશ્ચિમ તથા દરિયાકિનારે કાદવ-કીચડવાળા પ્રદેશોમાં ક્યા પ્રકારના જંગલો આવેલાં છે ?

જવાબ: મેન્ગ્રુવના જંગલો

78.

વિશ્વ પર્યાવરણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

જવાબ: 5મી જૂન

79.

વિશ્વ વન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

જવાબ: 2જી માર્ચ

80.

રણ અટકાવવા માટેનો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

જવાબ: 17મી જૂન

81.

દીવાસળીની પેટી કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે ?

જવાબ: શીમળાનાં

82.

કયા વૃક્ષના લાકડાંને લાંબા સમય સુધી ઊધઈ લાગતી નથી ?

જવાબ: સાલનાં

83.

કયા વૃક્ષના લાકડાંમાંથી રેલવેના સ્લીપર અને રેલવેના ડબ્બા બનાવવામાં આવે છે ?

જવાબ: સાલનાં

84.

કયા વૃક્ષના પાનમાંથી પડિયાં-પતરાળાં બનાવવામાં આવે છે ?

જવાબ: ખાખરાનાં

85.

કયા વૃક્ષના ફળમાંથી તેલ કાઢી તેમાંથી સાબુ બનાવવામાં આવે છે ?

જવાબ: મહુડાનાં

86.

જ્યાં પશુપંખી નિર્ભયતાથી રહી શકે, તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકાર પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને શું કહે છે

જવાબ: અભ્યારણ્ય

87.

નીચેનામાંથી રાષ્ટ્રીય ઉદ્યાનનું લક્ષણ કયું છે ?

જવાબ: આપેલા ત્રણેય

88.

નીચેનામાંથી અભ્યારણ્યનું લક્ષણ કયું છે ?

જવાબ: આપેલા ત્રણેય

89.

રીંછ માટેનું ડેડિયાપાડા અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: નર્મદા જિલ્લામાં

90.

ખીજડિયા અને ગાગા પક્ષીઓ માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: જામનગર જિલ્લામાં

91.

ઘુડખર માટેનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: કચ્છ જિલ્લામાં

92.

જેસોર રીંછ અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: બનાસકાંઠા જિલ્લામાં

93.

બરડીપાડાનું અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: ડાંગ જિલ્લામાં

94.

રતનમહાલ રીંછ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: દાહોદ જિલ્લામાં

95.

પાણિયા અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: અમરેલી જિલ્લામાં

96.

રામપુરા અને હિંગોળગઢ અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: રાજકોટ જિલ્લામાં

97.

થોળ ખાતે વિવિધરંગી પક્ષી અભ્યારણ્ય ક્યા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: મહેસાણા જિલ્લામાં

98.

વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: વલસાડ જિલ્લામાં

99.

વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે ?

જવાબ: ભાવનગર જિલ્લામાં

100.

એલ્યુમિનિયમ આધારિત કારખાનામાં શાનો ઉપયોગ થાય છે ?

જવાબ: બૉક્સાઇટ

101.

દરિયાના પાણીના શુદ્ધિકરણમાં શાનો ઉપયોગ થાય છે ?

જવાબ: ડોલોમાઈટ

102.

શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં શાનો ઉપયોગ થાય છે ?

જવાબ: અકીક

103.

તાપ વિદ્યુતનાં ઉત્પાદનમાં અને ડામર રસાયણ ઉદ્યોગમાં શાનો ઉપયોગ થાય છે ?

જવાબ: લિગ્નાઈટ

104.

સ્ટોરેજ બેટરી અને ઝીંક ઓક્સાઈડ બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?

જવાબ: સીસું

105.

વીજળીના તાર બનાવવા અને વાસણો બનાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?

જવાબ: તાંબું

106.

ગેલ્વેનાઈઝ પતરાંમાં ઢોળ ચડાવવા માટે શાનો ઉપયોગ થાય છે ?

જવાબ: જસત

107.

ડાયનાસોરનો અર્થ શું થાય છે ?

જવાબ: ભયાનક ગરોળી

108.

ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય ક્યું છે ?

જવાબ: જૂનાગઢનું શક્કરબાગ

109.

નીચેનામાંથી કઈ માછલી મોતી આપે છે ?

જવાબ: કાલુ માછલી

110.

મેન્ગ્રુવ જંગલનું બીજું નામ શું છે ?

જવાબ: ભરતીનું જંગલ

111.

ઇ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં કેટલાં મહાજનપદો હતાં ?

જવાબ: 16

112.

રાજતંત્ર રાજ્યવ્યવસ્થામાં કોને પ્રમુખ ગણવામાં આવતો હતો?

જવાબ: રાજાને

113.

આમાંથી કયું રાજ્ય રાજતંત્ર રાજ્યવ્યવસ્થા ધરાવતું હતું ?

જવાબ: મગધ

114.

આમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?

જવાબ: વૈશાલી

115.

આમાંથી કયું રાજ્ય સૌથી વધુ શક્તિશાળી હતું ?

જવાબ: મગધ

116.

વજ્જીસંઘ ગણરાજ્યનું મુખ્ય સ્થાન કયું હતું ?

જવાબ: વૈશાલી

117.

ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા સંપૂર્ણપણે કોના પર આધારિત હતી ?

જવાબ: લોકો પર

118.

ગણરાજ્યોની રાજ્યવ્યવસ્થા કયા સ્વરૂપની હતી ?

જવાબ: લોકશાહી

119.

કોઈપણ દરખાસ્ત ગણરાજ્યોની સભામાં કેટલી વખત રજૂ થતી ?

જવાબ: ત્રણ વખત

120.

ગણરાજ્યોની સભા ભરાતી તે સ્થળને શું કહેતા ?

જવાબ: સંથાગાર

121.

આપણા દેશના લોકો પોતાના શાસકોની પસંદગી શાનાથી કરે છે ?

જવાબ: મતદાનથી

122.

ઇ.સ. પૂર્વે સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટાં રાજ્યો કયા નામે ઓળખાતાં હતાં?

જવાબ: મહાજનપદ

123.

જે રાજ્યમાં લોકો રાજાની પસંદગી કરતા તે રાજ્યને શું કહેવામાં આવતું ?

જવાબ: ગણરાજ્ય

124.

ગણરાજ્ય સમયમાં ખેડૂતો જમીનની ઊપજનો કેટલામો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા ?

જવાબ: છઠ્ઠો

125.

ગણરાજ્ય સંઘના સભ્યોને મત આપવા માટે શું આપવામાં આવતું ?

જવાબ: સળી

126.

મગધમાં કઇ બે નદીઓ વહેતી હતી ?

જવાબ: ગંગા-સોન

127.

ગણરાજ્ય સમયમાં ચિત્રાંકન કરેલા વાસણને શું કહેવાતું ?
inf by gadhvi
જવાબ: ચિત્રિત ધૂસરપાત્ર

128.

ગણરાજ્યોમાં ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં શાનો ઉપયોગ કરતાં ?

જવાબ: લોખંડની કોશનો

129.

અલ્હાબાદથી મળેલ ઈંટની દીવાલ આશરે કેટલા વર્ષ પહેલાંની ગણાય છે ?

જવાબ: 2500

130.

પ્રજાતંત્ર અને રાષ્ટ્રીય એકતાની વાત આવે ત્યારે કોને યાદ કરવામાં આવે છે ?

જવાબ: વજ્જીસંઘના ગણરાજ્યોને

131.

માનવી શરૂઆતમાં ભટકતું જીવન શા માટે જીવતો હતો ?

જવાબ: ખોરાકની શોધમાં

132.

એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા ત્યારે તેઓ કેવી રીતે રહેતા ?

જવાબ: સમૂહમાં સાથે રહેતા

133.

જ્યાં જ્યાં મોટા સમુદાયો રહેવા લાગ્યા, તે જનસમુદાયો ક્યા નામે ઓળખાવા લાગ્યા ?

જવાબ: જનપદ

134.

'જનપદ'નો અર્થ શું થાય ?

જવાબ: માણસના વસવાટનું એક સ્થાન

135.

જનપદોના નામ કોના ઉપરથી પડ્યા ?

જવાબ: જનપદની સ્થાપના કરવાવાળાના નામ ઉપરથી

136.

કયા કાળમાં અનેક જનપદોનો ઉલ્લેખ જોવા મળે છે ?

જવાબ: મહાભારત

137.

કઈ સદીમાં ઉત્તર ભારતમાં નાનાં-મોટાં અનેક રાજ્યો હતાં ?

જવાબ: ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં

138.

ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં મોટાં રાજ્યો કયા નામે ઓળખાતાં હતા ?

જવાબ: મહાજનપદ

139.

ઈ.સ. પૂર્વેની સાતમી કે છઠ્ઠી સદીમાં ઉત્તર ભારતમાં નાનાં રાજ્યો કયા નામે ઓળખાતાં હતા ?

જવાબ: જનપદ

140.

મહાજનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી ?

જવાબ: 2

141.

વૈશાલીમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?

જવાબ: લિચ્છવી

142.

કપિલવસ્તુમાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?

જવાબ: શાક્ય

143.

મિથિલામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?

જવાબ: વિદેહ

144.

કુશીનારામાં કઈ પ્રજાનું ગણરાજ્ય હતું ?

જવાબ: મલ્લ

145.

મહાજનપદના સમયમાં કોની વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો ?

જવાબ: મગધ અને વજ્જિસંઘ વચ્ચે

146.

કેટલી જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા માટે સંઘરાજ્ય સ્થાપ્યુ ?

જવાબ: આઠ-નવ

147.

લિચ્છવી, વજ્જી, જ્ઞાતુક વગેરે જાતિના લોકોએ જે સંઘરાજ્ય સ્થાપ્યું તે કયા નામે ઓળખાતું હતું ?

જવાબ: વજ્જીસંઘનું ગણરાજ્ય

148.

ગણરાજ્યના રાજયવહીવટનું સંચાલન કોના દ્વારા થતું હતું ?

જવાબ: સભા દ્વારા

149.

ગણરાજ્યો રાજ્યવહીવટ માટે કોને પસંદ કરતા હતા ?

જવાબ: પ્રમુખને

150.

ગણરાજ્યમાં પ્રત્યેક સભ્યને શું ગણવામાં આવતો ?

જવાબ: રાજા

151.

ગણરાજ્યના પ્રમુખને કઈ સમિતિ રાજયવહીવટમાં મદદ કરતી ?

જવાબ: કાર્યવાહક સમિતિ

152.

કોઇપણ રાજ્યના શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે રાજ્યની રાજધાનીની આસપાસ શું કરતા હતા ?

જવાબ: કિલ્લાઓ બંધાવતા

153.

યુદ્ધ વખતે ગણરાજ્યોમાં બધા જ નાગરિકો પોતાને શું માનતા ?

જવાબ: સૈનિક

154.

ગુજરાતમાં પંચાયતી રાજનું માળખું કેટલા પ્રકારનું છે ?

જવાબ: ત્રણ

155.

કેટલી વસ્તીવાળાં ગામોમાં ગ્રામપંચાયત હોય છે ?

જવાબ: 15000થી ઓછી

156.

ગ્રામપંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ: 7 થી15

157.

તાલુકા પંચાયતના વડાને શું કહે છે ?

જવાબ: તાલુકા પ્રમુખ

158.

તાલુકા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?

જવાબ: તાલુકા વિકાસ અધિકારી

159.

ગ્રામપંચાયતના વડાને શું કહે છે ?

જવાબ: સરપંચ

160.

ગ્રામપંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?

જવાબ: તલાટી કમ મંત્રી

161.

જિલ્લા પંચાયતના વડાને શું કહે છે ?

જવાબ: જિલ્લા પ્રમુખ

162.

જિલ્લા પંચાયતની વહીવટી કામગીરી કોણ સંભાળે છે ?

જવાબ: જિલ્લા વિકાસ અધિકારી

163.

તાલુકા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ?

જવાબ: તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યો

164.

ગ્રામપંચાયતના વડાને કોણ ચુંટે છે ?

જવાબ: ગામનાં લોકો

165.

તાલુકા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ: 15 થી 31

166.

જિલ્લા પંચાયતમાં કેટલા સભ્યો હોય છે ?

જવાબ: 31 થી 51

167.

કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ?

જવાબ: 18 વર્ષ કે તેથી વધુ

168.

કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે?

જવાબ: 21 વર્ષ કે તેથી વધુ

169.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત કેટલા વર્ષની હોય છે ?

જવાબ: પાંચ વર્ષ

170.

ગ્રામસભામાં કોણ ભાગ લે છે ?

જવાબ: ગામના લોકો

171.

લોક અદાલતમાં બન્ને પક્ષ વચ્ચે શું કરાવવામાં આવે છે ?

જવાબ: સમાધાન

172.

સામાજિક ન્યાય આપવાનું કાર્ય કોણ કરે છે ?

જવાબ: સામાજિક ન્યાય સમિતિ

173.

કઈ અદાલતમાં ઝડપી અને બિનખર્ચાળ ન્યાય મળે છે ?

જવાબ: લોક અદાલત

174.

BPLનો અર્થ શું થાય ?

જવાબ: ગરીબીરેખા નીચે આવતાં કુટુંબો

175.

નીચેનામાંથી 'સ્થાનિક સ્વરાજ્ય'ની વ્યાખ્યામાં કઈ બાબતનો સમાવેશ થાય છે ?

જવાબ: આપેલા ત્રણેય

176.

સ્થાનિક સ્વરાજ્યનો વહીવટ કરતી સંસ્થાઓને શું કહેવામાં આવે છે ?

જવાબ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ

177.

ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ નથી ?

જવાબ: નગર પંચાયત

178.

જિલ્લા પંચાયતના પ્રમુખને કોણ ચૂંટે છે ?

જવાબ: જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્યો

179.

જિલ્લા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

180.

ગ્રામપંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

181.

તાલુકા પંચાયતના વહીવટી અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

182.

ગ્રામપંચાયતની ચૂંટણી માટે પાડવામાં આવેલા વિભાગને શું કહેવામાં આવે છે ?

જવાબ: વોર્ડ

183.

ગ્રામપંચાયતના કાર્યાલયને બીજું શું કહેવામાં આવે છે ?

જવાબ: ગ્રામ સચિવાલય

184.

તાલુકા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ?

જવાબ: T.D.O.

185.

જિલ્લા વિકાસ અધિકારીનું અંગ્રેજી ટૂંકું નામ શું છે ?

જવાબ: D.D.O.

186.

જિલ્લા પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની નિમણૂક કરવાનું કામ કોણ કરે છે ?

જવાબ: જિલ્લા પંચાયત

187.

સામાજિક ન્યાય સમિતિ કઈ કક્ષાએ કાર્ય કરે છે ?

જવાબ: તાલુકા અને જિલ્લા

188.

જિલ્લા કક્ષાએ સામાજિક ન્યાય સમિતિની પસંદગી કોણ કરે છે ?

જવાબ: જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો

189.

લોક અદાલતની સ્થાપનાનો હેતુ શું હતો ?

જવાબ: આપેલા ત્રણેય

190.

લોક અદાલતની કામગીરીમાં કોણ જોડાય છે ?

જવાબ: આપેલા ત્રણેય

191.

ગ્રામપંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?

જવાબ: ગામની

192.

તાલુકા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?

જવાબ: તાલુકાના ગામોની

193.

જિલ્લા પંચાયત કયાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?

જવાબ: જિલ્લાના ગામોની

194.

ગુજરાતની મોટામાં મોટી ડેરી કઈ અને કયા જિલ્લામાં આવેલી છે ?

જવાબ: અમૂલ-આણંદ

195.

હીરા ઉદ્યોગમાં નીચેનામાંથી ગુજરાતનો ક્યો જિલ્લો જાણીતો છે ?

જવાબ: સુરત

196.

નીચેનામાંથી કયું સમુદ્ર આધારિત ઉદ્યોગનું નામ છે ?

જવાબ: મત્સ્ય ઉદ્યોગ

197.

નીચેનામાંથી કયું ખેતી આધારિત ઉદ્યોગનું નામ નથી ?

જવાબ: ઈજનેરી ઉદ્યોગ

198.

નીચેનામાંથી કયું ખનીજ આધારિત ઉદ્યોગનું નામ છે ?

જવાબ: સિમેન્ટ ઉદ્યોગ

199.

ગુજરાતમાં સૌથી વધુ મગફળી ક્યા જિલ્લામાં થાય છે ?

જવાબ: જૂનાગઢ

200.

કપાસ ગુજરાતનાં ક્યા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ?

જવાબ: કાનમ

201.

શેરડીમાંથી શું બને છે ?

જવાબ: ખાંડ

202.

નીચેનામાંથી દરિયાકાંઠાના વિસ્તારોમાં શું થાય છે ?

જવાબ: નાળિયેર

203.

ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ?

જવાબ: અમદાવાદ

204.

પરિવહનના મુખ્ય કેટલા પ્રકાર છે ?

જવાબ: ત્રણ

205.

ગુજરાતનું આંતરરાષ્ટ્રીય હવાઈમથક ક્યાં આવેલું છે ?

જવાબ: અમદાવાદ

206.

ગુજરાતનું સૌથી મોટું બંદર કયું છે ?

જવાબ: કંડલા

207.

ગુજરાતમાં રોપ-વેની સુવિધા નીચેનામાંથી ક્યાં નથી ?

જવાબ: જૂનાગઢ

208.

નીચેનામાંથી સરળ અને સસ્તા દરે મુસાફરી કરાવતું વાહન કયું છે ?

જવાબ: રેલવે

209.

નીચેનામાંથી ખર્ચાળ અને ઝડપી મુસાફરી કરાવતું વાહન કયું છે ?

જવાબ: વિમાન

210.

ગુજરાતમાં સૌથી વધુ બાજરી કયા જિલ્લામાં થાય છે ?

જવાબ: બનાસકાંઠા

211.

ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં પ્રખ્યાત છે ?

જવાબ: ભાલ

212.

ગુજરાતમાં સૌથી વધુ ડાંગર કયા જિલ્લામાં થાય છે ?

જવાબ: ખેડા

213.

ગુજરાતમાં વાવેતરની દ્રષ્ટિએ બીજો અગત્યનો પાક કયો છે ?

જવાબ: જુવાર

214.

ગુજરાતમાં ભાલનો મોટાભાગનો વિસ્તાર ક્યાં આવેલો છે ?

જવાબ: ધંધૂકા તાલુકામાં

215.

તમાકુ ગુજરાતનાં ક્યા પ્રદેશમાં સૌથી વધુ થાય છે ?

જવાબ: ચરોતર

216.

ગુજરાતમાં ચરોતર વિસ્તાર ક્યાં આવેલો છે ?

જવાબ: ખેડા-વડોદરામાં

217.

નીચેનામાંથી કઠોળમાં કોનો સમાવેશ થતો નથી ?

જવાબ: જીરૂ

218.

નીચેનામાંથી મસાલામાં કોનો સમાવેશ થાય છે ?

જવાબ: ઇસબગુલ

219.

ગુજરાતમાં કૃષિવિકાસ પાછળ સૌથી અગત્યનું કારણ કયું છે ?

જવાબ: સિંચાઈની સુવિધામાં વધારો

220.

ખેતરમાં કૃત્રિમ વ્યવસ્થાથી પાણીનું સિંચન કરવામાં આવે તેને શું કહે છે ?

જવાબ: સિંચાઈ

221.

ગુજરાતમાં સૌથી મહત્ત્વની સિંચાઈ યોજના કઈ છે ?

જવાબ: નર્મદા(સરદાર સરોવર)

222.

ખેતરમાં ઢોળાવવાળી જમીન પર પાણીનો સંગ્રહ કરવા જે બનાવવામાં આવે તેને શું કહે છે ?

જવાબ: ખેત તલાવડી

223.

નદી, ઝરણાં કે વહેણનું પાણી વહી જતું અટકાવવા માટે તેની આગળ પાકો નાનો આડબંધ બાંધવામાં આવે તેને શું કહે છે ?

જવાબ: ચેકડેમ

224.

એવું કાર્ય જેમાં કાચામાલનો ઉપયોગ કરીને જુદીજુદી વસ્તુઓ બનાવવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?

જવાબ: ઉદ્યોગ

225.

ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે ?

જવાબ: વડોદરા

226.

સિમેન્ટ ઉદ્યોગમાં અગત્યનો કાચોમાલ કયો છે ?

જવાબ: ચૂનાનો પથ્થર

227.

ગુજરાત રિફાઇનરી ક્યાં આવેલી છે ?

જવાબ: વડોદરા નજીક કોયલી ખાતે

228.

ગુજરાતમાં રંગ રસાયણના કારખાના ક્યાં આવેલાં છે ?

જવાબ: વલસાડ ખાતે

229.

નીચેનામાંથી ઇજનેરી ઉદ્યોગમાં કયું કેન્દ્ર જાણીતું છે ?

જવાબ: રાજકોટ

230.

ગુજરાતમાં ટાઇલ્સનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ?

જવાબ: મોરબી

231.

ગુજરાતમાં ક્યાં શાર્ક માછલીના તેલને શુદ્ધ કરવા રિફાઈનરી બનાવવામાં આવી છે ?

જવાબ: વેરાવળ

232.

ગુજરાતમાં કાગળ બનાવવાનો ઉદ્યોગ કયાં વિકસ્યો છે ?

જવાબ: વડોદરાના બારેજડીમાં

233.

ગુજરાતમાં પરિવહનના પ્રકાર કેટલાં છે ?

જવાબ: 3

234.

જે તંત્ર મુસાફરો અને માલસામાનને એક સ્થાનથી બીજા સ્થાને લાવવા-લઈ જવાનું કાર્ય કરે તેને શું કહે છે ?

જવાબ: પરિવહન

235.

નીચેનામાંથી કયા પ્રકારના વાહનનો ઉપયોગ જમીન માર્ગે મુસાફરી માટે કરવામાં આવે છે ?

જવાબ: રેલગાડી

236.

ગુજરાતનું હાલનું મુખ્ય બંદર કયું છે ?

જવાબ: કંડલા

237.

કયા વાહન દ્વારા સૌથી ઝડપી અને ખૂબ જ ખર્ચાળ મુસાફરી થાય છે ?

જવાબ: વિમાન

238.

નગરપાલિકાના વડાને શું કહે છે ?

જવાબ: પ્રમુખ

239.

નગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?

જવાબ: ચીફ ઑફિસર

240.

મહાનગરપાલિકાના વડાને શું કહે છે ?

જવાબ: મેયર

241.

મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી અધિકારીને શું કહે છે ?

જવાબ: મ્યુનિસિપલ કમિશનર

242.

15 હજારથી 5 લાખ સુધીની વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે ?

જવાબ: નગરપાલિકા

243.

5 લાખથી વધુ વસ્તીવાળા શહેરમાં કઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા વહીવટ કરે છે ?

જવાબ: મહાનગરપાલિકા

244.

નગરપાલિકાના ચીફ ઑફિસરની નિમણૂક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

245.

મેયરની ચૂંટણી કેટલાં વર્ષે થાય છે ?

જવાબ: અઢી વર્ષે
inf by ranasi gadhvi
246.

મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે ?

જવાબ: રાજ્ય સરકાર

247.

મહાનગરપાલિકાની સૌથી મહત્ત્વની સમિતિ કઈ છે ?

જવાબ: કારોબારી સમિતિ

248.

કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મહાનગરપાલિકાને આર્થિક સહાય કરે છે ?

જવાબ: વિશ્વબૅન્ક

249.

હાલમાં ગુજરાતમાં મહાનગરો કેટલાં છે ?

જવાબ: આઠ

250.

નીચેના શહેરોમાંથી ક્યા શહેરમાં નગરપાલિકા છે ?

જવાબ: દૂધરેજ

251.

આ શહેરોમાંથી ક્યા શહેરમાં મહાનગરપાલિકા છે ?

જવાબ: અમદાવાદ

252.

પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા નગરપાલિકાનું કેવું કામ છે ?

જવાબ: ફરજિયાત કાર્ય

253.

જાહેર સ્નાનાગાર નગરપાલિકાનું કેવું કામ છે ?

જવાબ: મરજિયાત કાર્ય

254.

નગરપાલિકાની ચૂંટણી કેટલા વર્ષે આવે છે ?

જવાબ: 5 વર્ષે

255.

નગરપાલિકામાં ચૂંટાયેલા સભ્યોને સોગંદ કોણ લેવડાવે છે ?

જવાબ: કલેક્ટર

256.

નગરપાલિકાનું અધ્યક્ષપદ કોણ સંભાળે છે ?

જવાબ: નગરપાલિકા પ્રમુખ

257.

નગરપાલિકાનો બધો વહીવટ કોના નામે ચાલે છે ?

જવાબ: નગરપાલિકા પ્રમુખના

258.

નીચેનામાંથી કયું કાર્ય ફરજિયાત છે ?

જવાબ: આપેલા ત્રણેય

259.

નીચેનામાંથી કયું કાર્ય મરજિયાત છે ?

જવાબ: આપેલા ત્રણેય

260.

નગરપાલિકાએ ક્યાંની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ?

જવાબ: શહેરની

261.

કેટલા વર્ષની ઉંમરે નાગરિકને મત આપવાનો હક મળે છે ?

જવાબ: 18 વર્ષ કે તેથી વધુ

262.

કેટલા વર્ષની ઉંમરે નાગરિકને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો હક મળે છે?

જવાબ: 21 વર્ષ કે તેથી વધુ

263.

ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ક્યાં ઉપદેશ આપ્યો ?

જવાબ: સારનાથ

264.

મહાવીર સ્વામી જૈન ધર્મના કેટલામાં તીર્થંકર ગણાય છે ?

જવાબ: 24માં

265.

ઉપનિષદના વિચારોનો વિકાસ કોણે કર્યો ?

જવાબ: શંકરાચાર્યે

266.

ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?

જવાબ: સિદ્ધાર્થ

267.

સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું ?

જવાબ: શુદ્ધોધન

268.

સિદ્ધાર્થની પત્નીનું નામ શું હતું ?

જવાબ: યશોધરા

269.

સિદ્ધાર્થ કયા કૂળનાં હતા ?

જવાબ: ક્ષત્રિય

270.

સિદ્ધાર્થના પુત્રનું નામ શું હતું ?

જવાબ: રાહુલ

271.

સિદ્ધાર્થના ગૃહત્યાગને શું કહેવાય છે ?

જવાબ: મહાભિનિષ્ક્રમણ

272.

સિદ્ધાર્થને જ્ઞાન પ્રાપ્ત થયુ તે સ્થળ હાલમાં કયા નામે ઓળખાય છે ?

જવાબ: બોધિગયા

273.

ગૌતમ બુદ્ધ કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા ?

જવાબ: કુશીનારા

274.

મહાવીર સ્વામીનું મૂળ નામ શું હતું ?

જવાબ: વર્ધમાન

275.

મહાવીરનો જન્મ ક્યા ઉપનગરમાં થયો હતો ?

જવાબ: કુંડગ્રામમાં

276.

ગૌતમ બુદ્ધ કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા ?

જવાબ: પાલિ

277.

મહાવીરના માતાનું નામ શું હતું ?

જવાબ: ત્રિશલાદેવી

278.

મહાવીરના પત્નીનું નામ શું હતું ?

જવાબ: યશોદા

279.

મહાવીરના પુત્રીનું નામ શું હતું ?

જવાબ: પ્રિયદર્શના

280.

મહાવીર સ્વામીએ કેટલાં વ્રત આપ્યાં છે ?

જવાબ: પાંચ

281.

ગૌતમ બુદ્ધે જે ઉપદેશ આપ્યો તેના આધારે કયા ધર્મની સ્થાપના થઈ ?

જવાબ: બૌદ્ધ

282.

મહાવીર સ્વામીના ઉપદેશને લીધે સમાજમાં શું બંધ થઈ ગયું ?

જવાબ: પશુહિંસા

283.

લગભગ કેટલાં વર્ષ પહેલાં બૌદ્ધ ધર્મની સ્થાપના થઈ ?

જવાબ: 2500 વર્ષ

284.

ગૌતમ બુદ્ધનો જન્મ કયાં થયો હતો ?

જવાબ: કપિલવસ્તુ પાસે લુમ્બિની વનમાં

285.

ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?

જવાબ: માયાવતી

286.

સિદ્ધાર્થ કઈ પ્રજાના ગણરાજ્ય સાથે જોડાયેલા હતા ?

જવાબ: શાક્ય

287.

સિદ્ધાર્થ શા માટે વનમાં જઈ તપ કરવાનું ઇચ્છતા હતા ?

જવાબ: જ્ઞાનપ્રાપ્તી માટે

288.

ગૌતમ બુદ્ધને આ સંસાર કેવો લાગે છે ?

જવાબ: દુ:ખનો દરિયો

289.

ગૌતમ બુદ્ધ શાની શોધમાં અનેક સ્થળોએ ફર્યા ?

જવાબ: સત્યની

290.

ગૌતમ બુદ્ધને ક્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ?

જવાબ: વૈશાખી પૂર્ણિમાએ

291.

ગૌતમ બુદ્ધને કયા વૃક્ષની નીચે જ્ઞાન પ્રાપ્ત થયું ?

જવાબ: પીપળાના

292.

ગૌતમ બુદ્ધે કેટલા વર્ષ સુધી અલગ અલગ સ્થળોએ પગપાળા ચાલીને ધર્મનો ઉપદેશ આપ્યો ?

જવાબ: 45 વર્ષ

293.

ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા ?

જવાબ: 80 વર્ષની

294.

જયારે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારે તેમની ઉંમર કેટલાં વર્ષની હતી ?

જવાબ: 36 વર્ષની

295.

ગૌતમ બુદ્ધના મતે દુ:ખનું મુખ્ય કારણ કયું છે ?

જવાબ: તૃષ્ણા

296.

ધાર્મિક ઉપદેશ આપવાનું કામ કરવામાં કયા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે ?

જવાબ: ગાર્ગી

297.

કોણ પોતાનો દિકરો મરી જવાથી ગૌતમ બુદ્ધ પાસે ગયા હતા ?

જવાબ: કિસા ગૌતમી

298.

મહાવીર સ્વામીએ કેટલા વર્ષની ઉંમરે ઘર છોડી દીધું ?

જવાબ: 30 વર્ષની

299.

મહાવીર સ્વામીએ કેટલા વર્ષ સુધી કઠોર તપ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું ?

જવાબ: 12 વર્ષ

300.

મહાવીર સ્વામીના પિતાનું નામ શું હતું ?

જવાબ: સિદ્ધાર્થ

301.

મહાવીર સ્વામીના ઉપદેશથી શાનો મહિમા વધ્યો ?

જવાબ: અહિંસા

302.

મહાવીર સ્વામીએ નીચેનામાંથી કયું વ્રત આપ્યું નથી ?

જવાબ: અસત્ય

303.

બુદ્ધે કિસા ગૌતમીને અત્યાર સુધી કોઈના ઘરે એક પણ મરણ ન થયું હોય ત્યાંથી એક મુઠ્ઠી શું લાવવાનું કહ્યું ?

જવાબ: રાઈના દાણા

304.

જૈન તથા બૌદ્ધ ભિક્ષુઓ ક્યાં રહેતા ?

જવાબ: સંઘો અને વિહારોમાં

305.

ગુજરાતમાં કેટલી બોલીઓ છે ?

જવાબ: 8

306.

આજે ગુજરાતમાં કયું ખાણું ખૂબ જ જાણીતું છે ?

જવાબ: કાઠિયાવાડી

307.

ઉત્તર ગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?

જવાબ: તળપદી

308.

મધ્યગુજરાતમાં કઈ બોલી બોલાય છે ?

જવાબ: ચરોતરી

309.

ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે ?

જવાબ: અખાત્રીજથી

310.

ક્યા ઉત્સવની ઉજવણી માટે ગુજરાત વિશ્વભરમાં પ્રસિદ્ધ છે ?

જવાબ: નવરાત્રિ

311.

ગુજરાતમાં શામળાજી ખાતે ક્યો મેળો ભરાય છે ?

જવાબ: કાર્તિકી પૂનમનો

312.

ગુજરાતમાં શિવરાત્રીનો મેળો ક્યા સ્થળે ભરાય છે ?

જવાબ: ભવનાથ

313.

ભરવાડોનું કયું નૃત્ય તેમની આગવી ઓળખ ધરાવે છે ?

જવાબ: હૂડો

314.

કચ્છ વિસ્તારના કેટલાક લોકો શામાં રહે છે ?

જવાબ: ભૂંગામાં

315.

દક્ષિણ ગુજરાતમાં લોકો કઈ બોલી બોલે છે ?

જવાબ: સુરતી

316.

ગુજરાતના પૂર્વ વિસ્તારની વનવાસી સ્ત્રીઓ શું ભીડે છે ?

જવાબ: કાછડો

317.

ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે મેળા ભરાય છે, તેને શું કહેવામાં આવે છે ?

જવાબ: હાટ

318.

સૌરાષ્ટ્રમાં કઈ બોલી બોલાય છે ?

જવાબ: કાઠિયાવાડી

319.

કચ્છમાં કઈ બોલી બોલાય છે ?

જવાબ: કચ્છી

320.

ગુજરાતીઓ વર્ષોથી વિશ્વમાં કઈ પ્રજા તરીકે જાણીતા છે ?

જવાબ: વેપારી

321.

ભારતમાં ગુજરાતનું ભોજન શાના તરીકે પ્રખ્યાત છે ?

જવાબ: ગુજરાતી થાળી

322.

દરિયાકિનારે વસતા લોકો ખોરાકમાં શાનો ઉપયોગ કરે છે ?

જવાબ: ભાત-માછલી

323.

ગરબા ક્યા તહેવારમાં ગવાય છે ?

જવાબ: નવરાત્રિ

324.

ગુજરાતની પ્રજાને શું પ્રિય છે ?

જવાબ: ઉત્સવ

325.

ગુજરાતના સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં શું ખવાય છે ?

જવાબ: બાજરાનો રોટલો-શાકભાજી

326.

આજે કયું ખાણું ખૂબ જ જાણીતું બન્યું છે ?

જવાબ: કાઠિયાવાડી

327.

સુરતનું શું પ્રખ્યાત છે ?

જવાબ: ઊંધિયું-ઘારી

328.

રંગોની પીચકારી એકબીજા ઉપર કયા તહેવારમાં છાંટવામાં આવે છે ?

જવાબ: હોળી-ધૂળેટી

329.

કૃષ્ણ ભગવાનના જન્મની યાદમાં કયો તહેવાર ઉજવવામાં આવે છે ?

જવાબ: જન્માષ્ટમી

330.

ભાઈને બહેન કયા તહેવારમાં રાખડી બાંધે છે ?

જવાબ: રક્ષાબંધન

331.

કયા તહેવારમાં આકાશમાં રંગબેરંગી પતંગો ઉડાડવામાં આવે છે ?

જવાબ: ઉત્તરાયણ

332.

પારસીઓનું નવું વર્ષ કયા તહેવાર તરીકે ઉજવાય છે ?

જવાબ: પતેતી

333.

ખ્રિસ્તીઓનું નવું વર્ષ કયા તહેવાર તરીકે ઉજવવામાં આવે છે ?

જવાબ: નાતાલ

334.

ગુજરાતના સમજોમાં કયા દેશોના સમાજની ઘણી નવીન ટેક્નોલોજી અને આધુનિકતા લોકોએ અપનાવી છે ?

જવાબ: પશ્ચિમી દેશોના

335.

આદિવાસીઓનું નૃત્ય કયું છે ?

જવાબ: આપેલા ત્રણેય

336.

નીચેનામાંથી મુસ્લિમ ધર્મના લોકોનો કયો તહેવાર છે ?

જવાબ: મહોર્રમ

337.

નીચેનામાંથી શીખ ધર્મના લોકોનો કયો તહેવાર છે ?

જવાબ: ગુરુનાનક જયંતિ

338.

ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યા જિલ્લામાં આવેલો છે ?

જવાબ: જૂનાગઢમાં

339.

ચાણક્ય કયા વિષયમાં નિપુણ હતા ?

જવાબ: અર્થશાસ્ત્રમાં

340.

મગધ સામ્રાજ્યની રાજધાની ક્યા સ્થળે હતી ?

જવાબ: પાટલિપુત્ર

341.

આમાંથી ક્યા સ્થળે મગધ સામ્રાજ્યની પ્રાદેશિક રાજધાની હતી ?

જવાબ: તક્ષશિલા

342.

ક્યા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હ્રદયપરિવર્તન થયું ?

જવાબ: કલિંગના

343.

સમ્રાટ અશોકે પોતાનાં પુત્ર-પુત્રીને ધર્મના પ્રચાર માટે ક્યા દેશમાં મોકલ્યાં હતાં ?

જવાબ: સિલોન (શ્રીલંકા)

344.

સમ્રાટ અશોકના પુત્રનું નામ શું હતું ?

જવાબ: મહેન્દ્ર

345.

કલિંગ એટલે હાલનું કયું રાજ્ય ?

જવાબ: ઓરિસ્સા

346.

સમ્રાટ અશોકે કોના ઉપદેશથી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ?

જવાબ: ઉપગુપ્ત

347.

સમ્રાટ અશોક કોનો પુત્ર હતો ?

જવાબ: બિંદુસાર

348.

સમ્રાટ અશોકની પુત્રીનું નામ શું હતું ?

જવાબ: સંઘમિત્રા

349.

સમ્રાટ અશોક ક્યા વંશનો રાજા હતો ?

જવાબ: મૌર્ય વંશ

350.

બિન્દુસાર કોનો પુત્ર હતો ?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યનો

351.

હકીકતમાં આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા સિંહની આકૃતિ છે ?

જવાબ: 4

352.

હ્રદયપરિવર્તન થતાં સમ્રાટ અશોક શું બન્યો ?

જવાબ: ધર્મોપદેશક

353.

ભારતની રાજમુદ્રા કઈ છે ?

જવાબ: સારનાથનો સિંહસ્તંભ

354.

મગધના સામ્રાજ્યની સ્થાપના આજથી લગભગ કેટલા વર્ષ પહેલાં થઈ હતી ?

જવાબ: 2300 વર્ષ

355.

શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કોણે કર્યું હતું ?

જવાબ: ચંદ્રગુપ્ત મૌર્યે

356.

શક્તિશાળી મગધના સામ્રાજ્યનો વિસ્તાર કોણે કર્યો હતો ?

જવાબ: સમ્રાટ અશોકે

357.

પ્રાદેશિક રાજધાનીઓમાં રાજકુમારોને શું બનાવીને મોકલવામાં આવતા ?

જવાબ: રાજયપાલ

358.

સમ્રાટ અશોક શું જીતીને પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવા ઇચ્છતો હતો ?

જવાબ: કલિંગ

359.

કલિંગના યુદ્ધમાં કેટલા લોકોને બંદી બનાવવામાં આવ્યા ?

જવાબ: લગભગ દોઢ લાખ

360.

કલિંગના યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા ?

જવાબ: એક લાખથી પણ વધારે

361.

અશોકે શાના પ્રચાર માટે શિલાલેખોમાં કોતરાવ્યું ?

જવાબ: ધમ્મના

362.

કોણે મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી હતી ?

જવાબ: ચાણક્યએ

363.

કલિંગનું રાજ્ય પહેલાં ક્યા સામ્રાજ્યનો એક ભાગ હતું ?

જવાબ: મગધ

364.

અશોકે 'ધમ્મ'ના પ્રચાર માટે શિલાલેખોમાં શું કોતરાવ્યું ન હતું ?

જવાબ: બને તેટલો વધુ ખર્ચ કરવો

365.

મૌર્ય સામ્રાજ્યના પતન પછી ઉત્તર-પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?

જવાબ: યવન રાજાઓનું

366.

મૌર્ય સામ્રાજ્યના પતન પછી પશ્ચિમ ભારતમાં કયા રાજાઓનું શાસન સ્થપાયું ?

જવાબ: શક રાજાઓનું

367.

શકો પછી કોનું શાસન સ્થપાયું ?

જવાબ: કુષાણોનું

368.

ઉત્તર તથા મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં કોનું શાસન હતું ?

જવાબ: પુષ્પમિત્ર શુંગ

369.

પુષ્પમિત્ર શુંગ પછી કોનું શાસન આવ્યું ?

જવાબ: કણ્વ

370.

દક્ષિણ ભારતમાં 2200 થી 1800 વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?

જવાબ: આપેલા ત્રણેય

371.

દક્ષિણ ભારતમાં 1500 વર્ષ પહેલાં આંધ્રપ્રદેશમાં કયા વંશના રાજાઓનું શાસન હતું ?

જવાબ: પલ્લવ, ચાલુક્ય

372.

વાવાઝોડા વખતે હવાની દિશાનો અણસાર મેળવી કઈ દિશામાં જવું ?

જવાબ: લંબ દિશામાં

373.

કઈ કુદરતી આપત્તિ આવે ત્યારે ગભરાયા વિના ખુલ્લા મેદાનમાં ચાલ્યા જવું ?

જવાબ: ભૂકંપ

374.

પૂર વખતે ઘરના વીજપ્રવાહનું શું કરવું ?

જવાબ: બંધ કરવો

375.

નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને શું કહે છે ?

જવાબ: પૂર

376.

વરસાદ પડ્યો ન હોય કે નહિવત્ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિને શું કહેવાય ?

જવાબ: દુષ્કાળ

377.

જંગલોમાં કોઈ કારણસર આગ લાગે તેને શું કહેવાય ?

જવાબ: દાવાનળ

378.

નીચેનામાંથી કુદરતી આપત્તિ કઈ છે ?

જવાબ: જ્વાળામુખી વિસ્ફોટ

379.

નીચેનામાંથી માનવસર્જિત આપત્તિ કઈ છે ?

જવાબ: આગ

380.

નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ નથી?

જવાબ: ઔદ્યોગિક અકસ્માત

381.

નીચેનામાંથી કઈ માનવસર્જિત આપત્તિ નથી?

જવાબ: ત્સુનામી

382.

સમુદ્રના તળિયે ભૂકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી મોટા અને ઊંચા સમુદ્રમોજાં ઉત્પન્ન થાય તેને શું કહેવાય ?

જવાબ: ત્સુનામી

383.

વેરભાવ કે અન્ય કારણોસર માનવ વસવાટના સ્થળોએ લોકો વચ્ચે થતી મારામારીની અને મિલકતોને નુકસાનની ઘટનાને શું કહેવાય ?

જવાબ: હુલ્લડ

384.

આમાંથી આગાહી કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?

જવાબ: દુકાળ

385.

આમાંથી આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિ કઈ છે ?

જવાબ: જંગલની આગ

386.

હવાનું હલકું દબાણ સર્જાવાથી ભારે દબાણવાળા વિસ્તારમાંથી વેગથી પવન ફૂંકાય છે. આ તોફાની પવનો ભારે વરસાદ સાથે વાય ત્યારે સર્જાતી પરિસ્થિતિને શું કહે છે ?

જવાબ: વાવાઝોડું

387.

વરસાદ ન પડે કે ખૂબ ઓછો પડે તેવી સ્થિતિને શું કહે છે ?

જવાબ: સૂકો દુકાળ

388.

ખૂબ વધુ વરસાદ પડે તેવી સ્થિતિને શું કહે છે ?

જવાબ: લીલો દુકાળ

389.

જમીનના અંદરના ખડકો ખૂબ શક્તિશાળી કંપન અનુભવે ત્યારે પૃથ્વીની ઉપરની સપાટી પર કંપન અનુભવાય આ ઘટનાને શું કહે છે ?

જવાબ: ભૂકંપ

390.

પૃથ્વીની સપાટી પર આવેલા કોઈ છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાં રહેલા લાવા, ગરમ વાયુઓ, રાખ, માટી વગેરે ધડાકા સાથે કે ધીમે ધીમે જમીનની બહાર આવે તેને શું કહે છે ?

જવાબ: જ્વાળામુખી

391.

કયા કારણથી ઓદ્યૌગિક અકસ્માત સર્જાતો નથી ?

જવાબ: પૂરતી સુરક્ષા વ્યવસ્થાથી

392.

નીચેનામાંથી કયા કારણથી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવે છે ?

જવાબ: આપેલા ત્રણેય

393.

'આપત્તિમાં મૃત્યું થાય.' તેને કેવી અસર કહેવાય ?

જવાબ: શારીરિક અસર

394.

'આપત્તિમાં માણસ ડઘાઈ જાય, સૂનમૂન થઈ જાય.' તેને કેવી અસર કહેવાય ?

જવાબ: માનસિક અસર

395.

'આપત્તિમાં વ્યક્તિના ધંધા રોજગારને નુકશાન થાય.' તેને કેવી અસર કહેવાય ?

જવાબ: આર્થિક અસર

396.

'આપત્તિમાં સ્વજનોથી અલગ થવું પડે.' તેને કેવી અસર કહેવાય ?

જવાબ: સામાજિક અસર

397.

બંધારણે નાગરિકના સંપૂર્ણ સર્વાંગી વિકાસ માટે શું આપેલું છે ?

જવાબ: મૂળભૂત હકો

398.

શિક્ષણનો અધિકાર કેટલા વર્ષના વયજૂથ માટે અમલમાં આવ્યો છે ?

જવાબ: 6 થી 14 વર્ષના

399.

કેટલા વર્ષ પૂર્ણ થાય પછી મતદાનનો અધિકાર મળે છે ?

જવાબ: 18 વર્ષ

400.

ભારતનો નાગરિક વિવિધ મંડળોની રચના કયા હકથી કરી શકે છે ?

જવાબ: સ્વાતંત્ર્યનો હક

401.

ભારતના નાગરિકને કોઈ પણ ધર્મ પાળવાનો અધિકાર ક્યા હકથી મળ્યો છે ?

જવાબ: ધર્મ-સ્વાતંત્ર્યનો હક

402.

મૂળભૂત હકોના રક્ષણ માટે દેશના નાગરિકોને કયો હક આપવામાં આવ્યો છે ?

જવાબ: બંધારણીય ઇલાજનો હક

403.

ભારતના તમામ નાગરિકો કેવા છે ?

જવાબ: સમાન

404.

આપણે આપણી ફરજોનું બરાબર પાલન કરીએ તો દરેક જણ શું ભોગવી શકે ?

જવાબ: હક

405.

ભારતના નાગરિકને કોઈ પણ સંસ્થાની સ્થાપના કરવાનો અધિકાર કયા હકથી મળ્યો છે ?

જવાબ: સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક

406.

'જમીનદાર ખેડૂત પાસે પૂરૂં કામ કરાવી ખેડૂતને ઓછી મજૂરી આપતા હતા.'આ બાબત ખેડૂતનો કયો હક છીનવી લે છે ?

જવાબ: શોષણ સામેનો હક

407.

રમેશભાઈને હિન્દુ ધર્મનો પ્રચાર કરવાનો અધિકાર કયા હકથી મળ્યો છે ?

જવાબ: ધર્મ-સ્વાતંત્ર્યના હક

408.

'ભરતભાઇ મજૂર પાસે બળજબરીથી કામ કરાવતા હતા.' આ બનાવ મજૂરનો કયા હકને છીનવી લે છે ?

જવાબ: શોષણ સામેનો હક

409.

હાલમાં કોઈ પણ જાતિના સ્ત્રી કે પુરુષને દરેક ક્ષેત્રે સરખી તક કયા હકના કારણે મળે છે ?

જવાબ: સમાનતાના હક

410.

હાલમાં ભારતનો કોઈ પણ નાગરિક કોઈ પણ સરકારી કચેરી કે સરકાર દ્વારા અનુદાનિત કચેરીમાંથી સરળતાથી માહિતી કયા હકથી મેળવી શકે છે ?

જવાબ: માહિતી મેળવવાના હક

411.

નીચેનામાંથી કયો હક નથી ?

જવાબ: પર્યાવરણનું જતનનો

412.

નીચેનામાંથી કઈ ફરજ નથી ?

જવાબ: માહિતી મેળવવાની

413.

અખબાર સરકારની ટીકા ટીપ્પણી કયા હકના કારણે કરી શકે છે ?

જવાબ: લેખન-વાણી સ્વાતંત્ર્યના હક

414.

'રામજીભાઈ પોતાના સગીર વયના છોકરાને ઘરે મજૂરી કરાવે છે.' આમાં હક કોણ ગુમાવે છે ?

જવાબ: છોકરો

415.

'રામજીભાઈ પોતાના સગીર વયના છોકરાને ઘરે મજૂરી કરાવે છે.' આમાં ફરજ કોણે ગુમાવી છે ?

જવાબ: રામજીભાઈએ

416.

'સવિતાબાને મંદિરમાં કેટલાક લોકો દર્શન કરવા દેતા નથી.' આમાં હક કોણે ગુમાવ્યો ?

જવાબ: સવિતાબાએ

417.

'સવિતાબાને મંદિરમાં કેટલાક લોકો દર્શન કરવા દેતા નથી.' આમાં ફરજ કોણે ગુમાવી ?

જવાબ: દર્શન ન કરવા દેનાર લોકોએ

418.

'મનિન્દરસિંહને ખાનગી શાળામાં પ્રવેશ મળતો નથી' આમાં હક કોણે ગુમાવ્યો ?

જવાબ: મનિન્દરસિંહે

419.

'મનિન્દરસિંહને ખાનગી શાળામાં પ્રવેશ મળતો નથી' આમાં ફરજ કોણે ગુમાવી ?

જવાબ: શાળાના આચાર્યશ્રીએ

420.

'જોસેફની અરજીનો મામલતદાર નિકાલ કરતા નથી' આમાં હક કોણે ગુમાવ્યો ?

જવાબ: જોસેફે

421.

'જોસેફની અરજીનો મામલતદાર નિકાલ કરતા નથી' આમાં ફરજ કોણે ગુમાવી ?

જવાબ: મામલતદારે

422.

'પેસ્તનજીના પાડોશી રમેશભાઈ જોરથી ટેપ વગાડે છે.' આમાં હક કોણે ગુમાવ્યો ?

જવાબ: પેસ્તનજીએ

423.

'પેસ્તનજીના પાડોશી રમેશભાઈ જોરથી ટેપ વગાડે છે.' આમાં ફરજ કોણે ગુમાવી ?

જવાબ: રમેશભાઈએ

424.

'ભરત રમેશને શાંતિથી ભણવા દેતો નથી.' આમાં હક કોણે ગુમાવ્યો ?

જવાબ: રમેશે

425.

'ભરત રમેશને શાંતિથી ભણવા દેતો નથી.' આમાં ફરજ કોણે ગુમાવી ?

જવાબ: ભરતે

426.

વેરો ભરવાથી જ શાનો હક મળી શકે ?

જવાબ: જાહેર સુવિધાનો

427.

ચંદ્રગુપ્ત બીજાએ શાની શરૂઆત કરી ?

જવાબ: વિક્રમ સંવત

428.

ચંદ્રગુપ્ત પહેલાની પત્નીનું નામ શું હતું ?

જવાબ: કુમારદેવી

429.

ચંદ્રગુપ્ત પહેલા પછી કોણ ગાદીએ આવ્યું ?

જવાબ: સમુદ્રગુપ્ત

430.

મગધમાં ગુપ્તવંશના સ્થાપક ક્યા રાજા હતા ?

જવાબ: શ્રીગુપ્ત

431.

સમુદ્રગુપ્ત પછી કોણ ગાદીએ આવ્યું ?

જવાબ: ચંદ્રગુપ્ત બીજો

432.

ચંદ્રગુપ્ત બીજાનું બીજું નામ શું હતું ?

જવાબ: દેવગુપ્ત

433.

ચંદ્રગુપ્ત બીજાએ શક ક્ષત્રપ વંશનો અંત આણ્યા પછી ક્યું બિરૂદ ધારણ કર્યું ?

જવાબ: શકારી

434.

સમ્રાટ સમુદ્રગુપ્તની માહિતી કયા શહેરના પ્રસિદ્ધ સ્તંભ પરથી મળે છે ?

જવાબ: અલાહાબાદના

435.

ગુપ્તવંશના કયા રાજાએ કવિરાજનું બિરુદ મેળવ્યું હતું ?

જવાબ: સમુદ્રગુપ્તે

436.

ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક ક્યો રાજા હતો ?

જવાબ: સમુદ્રગુપ્ત

437.

ક્યા ચીની પ્રવાસીની નોંધપોથીમાં ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ થયેલો છે?

જવાબ: ફાહિયાનની

438.

ક્યા યુગને ભારતીય સંસ્કૃતિનો 'સુવર્ણયુગ' કહેવામાં આવે છે ?

જવાબ: ગુપ્તયુગને

439.

ગુપ્તયુગ દરમિયાન કયા ધર્મનું પુનરુત્થાન થયું હતું ?

જવાબ: હિંદુ

440.

ક્યા મહાકવિનાં નાટકો અને કાવ્યો વિશ્વસાહિત્યમાં અગ્રસ્થાન ધરાવે છે ?

જવાબ: કાલિદાસનાં

441.

ગુપ્તયુગમાં કયા મહાન ગણિતશાસ્ત્રીએ દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કરી હતી ?

જવાબ: આર્યભટ્ટે

442.

ગુપ્તયુગમાં કયા મહાન ગણિતશાસ્ત્રી થઈ ગયા ?

જવાબ: આર્યભટ્ટ

443.

નીચેનામાંથી પ્રાચીન ભારતના મહાન વૈજ્ઞાનિક કોણ હતા ?

જવાબ: વરાહમિહિર

444.

વરાહમિહિરે ક્યો ગ્રંથ લખ્યો હતો ?

જવાબ: બૃહદ્સંહિતા

445.

ગુપ્ત સામ્રાજ્યના વહીવટનું સૌથી નાનું એકમ કયું હતું ?

જવાબ: ગ્રામ

446.

શ્રીગુપ્તના ઉત્તરાધિકારી તરીકે કયો રાજા ગુપ્ત વંશની ગાદીએ આવ્યો ?

જવાબ: ઘટોત્કચ

447.

ઘટોત્કચ ગુપ્ત પછી કોણ ગાદીએ આવ્યું ?

જવાબ: ચંદ્રગુપ્ત પહેલો

448.

ચંદ્રગુપ્ત પહેલો પાટલીપુત્રની ગાદીએ ક્યારે આવ્યો ?

જવાબ: ઈ.સ. 330માં

449.

ચંદ્રગુપ્ત પહેલાએ કઈ જાતિની રાજકન્યા સાથે લગ્ન કર્યા ?

જવાબ: લિચ્છવી

450.

ચંદ્રગુપ્ત પહેલાએ મગધની પાસે શું જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો ?

જવાબ: પ્રયાગ-સાકેત

451.

ચંદ્રગુપ્ત પહેલાએ પોતાની વહીવટી કુશળતાઓના પરિંણામે કયુ બિરુદ ધારણ કર્યું ?

જવાબ: મહારાજાધિરાજ

452.

ચંદ્રગુપ્ત પહેલાએ કઈ સંવતની શરૂઆત કરી ?

જવાબ: ગુપ્ત સંવત

453.

ચંદ્રગુપ્તના રાજ્યારોહણની અને સત્તાપ્રાપ્તિના શુભ પ્રસંગની યાદમાં શાની શરૂઆત થઈ હતી ?

જવાબ: ગુપ્ત સંવત

454.

કયા સંવતના આરંભને કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની ?

જવાબ: ગુપ્ત સંવત

455.

સૌરાષ્ટ્રના કયા રાજ્યના શાસકોએ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો ?

જવાબ: વલભી રાજ્યના

456.

ચંદ્રગુપ્ત પહેલાએ પોતાના લગ્નની યાદમાં શું કરાવ્યું હતું ?

જવાબ: સોનાના સિક્કા પડાવ્યા

457.

સમુદ્રગુપ્તે દક્ષિણના લગભગ કેટલા રાજાઓને હરાવ્યા હતા ?

જવાબ: 13

458.

ગુપ્તવંશના ક્યા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો ?

જવાબ: સમુદ્રગુપ્ત

459.

સમુદ્રગુપ્ત સિક્કાઓમાં શું વગાડતો દર્શાવવામાં આવ્યો છે ?

જવાબ: વીણા

460.

સમુદ્રગુપ્તે કેદ કરેલા રાજાઓને ડહાપણપૂર્વક કયા રાજા તરીકે પુન:સ્થાપિત કર્યા ?

જવાબ: ખંડિયા રાજાઓ

461.

ચંદ્રગુપ્ત બીજો કયો ધર્મ પાળતો હતો ?

જવાબ: વૈષ્ણવ

462.

ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કોણ હતો ?

જવાબ: આમ્રકાર દેવ

463.

ચંદ્રગુપ્ત બીજાનો પરરાજ્યમંત્રી કોણ હતો ?

જવાબ: વરસેન

464.

ચંદ્રગુપ્ત બીજાનો સેનાપતિ કયો ધર્મ પાળતો હતો ?

જવાબ: બૌદ્ધ

465.

ચંદ્રગુપ્ત બીજાનો પરરાજ્યમંત્રી કયો ધર્મ પાળતો હતો ?

જવાબ: શૈવ

466.

ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કેટલાં રત્નો હતા ?

જવાબ: નવ

467.

અમરકોષ કોણે બનાવ્યો હતો ?

જવાબ: અમરસિંહે

468.

ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં કોણ રત્ન તરીકે નહોતું ?

જવાબ: બીરબલ

469.

ચંદ્રગુપ્ત બીજાનું અવસાન કયા અરસામાં થયું ?

જવાબ: ઈ.સ. 414માં

470.

ગુપ્તયુગમાં પ્રશસ્તિઓ, શિલાલેખો અને તામ્રપત્રો આ બધું કઈ ભાષામાં લખાતું ?

જવાબ: સંસ્કૃત

471.

ગુપ્તયુગમાં કઈ ભાષાને રાજ્યાશ્રય મળ્યો હતો ?

જવાબ: સંસ્કૃત

472.

ગુપ્તયુગમાં વહીવટીતંત્રમાં કોણ કેન્દ્રસ્થાને હતું ?

જવાબ: સમ્રાટ

473.

ગુપ્તયુગમાં પ્રાંત પછીના એકમને શાના તરીકે ઓળખવામાં આવતું ?

જવાબ: વિષય

474.

ગુપ્તયુગમાં સૌથી નાનું વહીવટી એકમ કયું છે ?

જવાબ: ગ્રામ

475.

ગુપ્તયુગમાં ગ્રામનો વહીવટ કોણ કરતું હતું ?

જવાબ: વિવિધ વર્ગોના પ્રતિનિધિની ગ્રામ સમિતિ

476.

કોણે આયુર્વેદમાં ઘણાં સંશોધનો કર્યા ?

જવાબ: વાગ્ભટ્ટે

477.

દિલ્હી પાસે કયો સ્તંભ ધાતુવિદ્યામાં અજબ સિદ્ધિ પુરવાર કરે છે ?

જવાબ: મેહરાલીનો લોહસ્તંભ

478.

દિલ્હી પાસેના સ્તંભને કેટલા વર્ષ થવા આવ્યા છતાં હજુ સુધી કાટ લાગ્યો નથી ?

જવાબ: 1600 વર્ષ

479.

પૃથ્વીના દક્ષિણ ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?

જવાબ: ઍન્ટાર્કટિકા

480.

ઍન્ટાર્કટિકા ખંડ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા બરફ ધરાવે છે ?

જવાબ: 90 ટકા

481.

દક્ષિણ ધ્રુવના અંતિમ બિંદુએ ક્ષિતિજની સપાટીથી નીકળતાં સૂર્યકિરણોના પરાવર્તનથી આકાશમાં દેખાતા રંગબેરંગી પટ્ટાઓને શું કહે છે ?

જવાબ: સુમેરુ જ્યોતિ

482.

ઍન્ટાર્કટિકા ખંડને બીજા ક્યા નામે ઓળખવામાં આવે છે ?

જવાબ: પૅગ્વિન ભૂમિ

483.

ઍન્ટાર્કટિકા ખંડમાં ભારતે આમાંથી કયું સંશોધન કેન્દ્ર સ્થાપ્યું છે ?

જવાબ: ગંગોત્રી સંશોધન કેન્દ્ર

484.

ઑસ્ટ્રેલિયા ખંડની વસ્તી ભારતના કયા રાજ્યની વસ્તી જેટલી છે ?

જવાબ: મધ્ય પ્રદેશ

485.

ઑસ્ટ્રેલિયાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો મહાનગરોમાં વસે છે ?

જવાબ: 90 ટકા

486.

ઑસ્ટ્રેલિયાના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે ?

જવાબ: મકરવૃત્ત

487.

ઑસ્ટ્રેલિયા ખંડ દુનિયાની કુલ ભૂમિના કેટલા ટકા ભૂમિ ધરાવે છે ?

જવાબ: 7 ટકા

488.

ઑસ્ટ્રેલિયાના કેટલા ટકા લોકો સમુદ્રી ખોરાકની નિકાસ સાથે સંકળાયેલા છે ?

જવાબ: 31 ટકા

489.

આમાંથી ક્યું શહેર ઑસ્ટ્રેલિયાની રાજધાની છે ?

જવાબ: કૅનબરા

490.

ન્યૂઝીલૅન્ડની આબોહવા કયા દેશને મળતી આવે છે ?

જવાબ: ઇંગ્લૅન્ડ

491.

પૃથ્વી પર કેટલા ખંડ આવેલા છે ?

જવાબ: સાત

492.

ઑસ્ટ્રેલિયા અને ઍન્ટાર્કટિકા ખંડના શોધક કોણ હતા ?

જવાબ: કૅપ્ટન જેમ્સ કૂક

493.

કયા ખંડમાં છ માસની રાત અને છ માસનો દિવસ હોય છે ?

જવાબ: ઍન્ટાર્કટિકા

494.

ક્યો ખંડ 'દરિયાઇ જીવોની સ્વર્ગભૂમિ' તરીકે ઓળખાય છે ?

જવાબ: ઍન્ટાર્કટિકા

495.

ઑસ્ટ્રેલિયાનું વિશિષ્ટ પ્રાણી કયું છે ?

જવાબ: કાંગારુ

496.

ઍન્ટાર્કટિકાનું વિશિષ્ટ પક્ષી કયું છે ?

જવાબ: પૅગ્વિન

497.

વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ કઈ છે ?

જવાબ: બ્રોકન હિલ

498.

આપણે કયા ખંડમાં રહીએ છીએ ?

જવાબ: એશિયા

499.

પૃથ્વીનો ઉત્તર ધ્રુવનો વિસ્તાર કયા નામે ઓળખાય છે ?

જવાબ: આર્કટિક

500.

ઍન્ટાર્કટિકા ખંડનો વિસ્તાર કેટલો છે ?

જવાબ: યુરોપ અને અમેરિકા જેટલો

501.

ઍન્ટાર્કટિકા ખંડ કયા નામે પણ ઓળખાય છે ?

જવાબ: મહાકાય દરિયાઈ જીવોની સ્વર્ગભૂમિ

502.

ઍન્ટાર્કટિકા ખંડ પર હિમવર્ષા, ઝાકળ, કરા, ધુમ્મસ અને બરફવર્ષા તેમજ તેજ બર્ફીલા તોફાની પવનોના લીધે શું અસર થાય છે ?

જવાબ: વનસ્પતિનો વિકાસ થતો નથી

503.

ઇ.સ. 1903 થી 1926 દરમિયાન કોણ સૌપ્રથમ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનાર વ્યક્તિ હતા ?

જવાબ: રોનાલ્ડ એમૂન્ડસન

504.

ઑસ્ટ્રેલિયા ખંડનું નામ કોણે આપ્યું ?

જવાબ: ફિલન્ડર્સે

505.

વિશ્વની પ્રાકૃતિક અજાયબી એવા ઑસ્ટ્રેલિયા ખંડના પરવાળાના ટાપુઓના સમૂહ કયા નામે ઓળખાય છે ?

જવાબ: ગ્રેટ બેરિયર રીફ

506.

નીચેનામાંથી ઑસ્ટ્રેલિયા ખંડમાં આવેલી સોનાની ખાણ કઈ છે ?

જવાબ: કાલગુર્લી

Footer
Share on Google Plus